SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદ યોજાઇ.

તા.30/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જેમાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણા સહિત જિલ્લાના ધારાસભ્ય સહિત જિલ્લા ભાજપના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને વિસ્તૃત માહિતી આપી હતી કે, વર્ષ 2014 થી સાર્વત્રિક વૃદ્ધિના કેન્દ્ર સરકારના મોડલને પ્રતાપે રેલવે, હવાઈ અને રોડ ઇન્ફાસ્ટ્રક્ચરથી લઈને મોટાભાગના ક્ષેત્રોમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. કોરોના મહામારી દરમિયાન રસી અને રાશન વિતરણ ટેકનોલોજી અને સામાજિક કલ્યાણની પહેલ દ્વારા લાખો લોકોનું સશક્તિકરણ થયું છે વડાપ્રધાનના તાજેતરના ત્રણ દેશોના પ્રવાસે વૈશ્વિક મંચ પર પરિવર્તનશીલ ભારતની છબીને મજબૂત બનાવી છે આમ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નવ વર્ષના કાર્યકાળમાં થયેલી પ્રગતિ અને વિકાસને ભાજપ દ્વારા જનજન સુધી લઈ જવામાં આવશે, અને તેના માટે એક જન સંપર્ક અભિયાન ની શરૂઆત કરવામાં આવશે સાથે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે લોકોને જાગૃત કરવામાં આવશે જિલ્લામાં આગામી ત્રીસ દિવસ અલગ અલગ વિધાનસભા વાઇસ જન સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે જેની અંદર ભાજપના આગેવાનો ધારાસભ્ય સહિત મંત્રી આ કાર્યમાં જોડાશે યોજાયેલ પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, નાયબ દંડક જગદીશ મકવાણા ઉપરાંત જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ અને કેન્દ્ર સરકારની કામગીરી વિશે પત્રકારોને સવિશેષ માહિતી આપી હતી.

Back to top button
error: Content is protected !!