BANASKANTHAPALANPUR
પાલનપુરમાં જી ડી મોદી કોલેજની સામે હનુમાન મંદિરે બહેનો એ વટસાવિત્રી વ્રત પૂજા – અર્ચન કર્યું
3 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં જી ડી મોદી કોલેજની સામે આવેલા વડવાળા હનુમાનજી મંદિરે આજે વટ સાવિત્રીનું વ્રત ની પૂજા કરવામાં આવી હતી જે વ્રત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અને સૌભાગ્યવતી માટે કરવામાં આવે છે આ વ્રતની પૂજા આજે મંદિરના પૂજારીશ્રી ભીખાભાઈ મહારાજ જે કરાવી હતી અને આજે મંદિરમાં જાણે ઘોડાપૂર ઉંટી પડ્યું એ રીતે મહિલાઓ પૂજા કરવા માટે આવી હતી આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે આ વ્રતની પૂજા જેઠ સુદ તેરસથી કરવામાં આવે છે અને પૂનમે પૂજા કરી અને પૂરું કરવામાં આવે છે આ વર્તનો મહિમા એ છે કે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પૂજા- અર્ચના કરવામાં આવે છે.