JETPURRAJKOT

પી.એન.ડી.ટી અંગેની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

તા.૬ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લામાં સોનોગ્રાફી મશીન ધરાવતા ડોક્ટર, ક્લિનિક અને હોસ્પિટલની પી.એન.ડી.ટી. એક્ટ ૧૯૯૪ અન્વયે થયેલ કામગીરીની સમીક્ષા માટે જિલ્લા પંચાયત રાજકોટ ખાતે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધ્યક્ષશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા સભ્યો દ્વારા નવી રજીસ્ટ્રેશન અને રિન્યુઅલ રજીસ્ટ્રેશન તેમજ કેન્સલેશન માટે મળેલ અરજીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી, અને રીન્યુઅલ તથા નવા રજીસ્ટ્રેશન માટે અગાઉ મળેલ અરજીઓની સ્થળ તપાસ વિષે વિગતવાર ચર્ચા કરતા કુલ ૬૬ સંસ્થાઓની સ્થળ તપાસ બાદ રજીસ્ટ્રેશન આપવા અંગે ભલામણ કરવામાં આવી હતી.

આગામી દિવસોમાં તમામ રજીસ્ટર થયેલ સંસ્થાઓનું ત્રિમાસિક નિરીક્ષણ કરવા બાબતે તેમજ હાલમાં મળેલ નવી અને રીન્યુઅલ માટેની ૩૮ સંસ્થાઓની અરજી અંગે આગામી સમયમાં ચકાસણી હાથ ધરવા વિશેનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નીલેશ રાઠોડ, જિલ્લા આર.સી.એચ.અધિકારી ડો. પી.કે..સિંગ, બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઇ ઉપાધ્યાય, સામાજિક સંસ્થાના કાર્યકરો તથા સમિતિના સભ્યો, તાલુકા હેલ્થ ઓફિસર્સ વગેરે ઉપસ્થિત રહયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!