દશેરા અને દિવાળીના તહેવારોને ધ્યાને રાખી પંચમહાલ જિલ્લામાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું

0
131
વાત્સલ્યમ્ સમાચાર

ગોધરા

રિપોર્ટર નિલેશકુમાર દરજી શહેરા IMG 20231023 WA0037 1 IMG 20231023 WA0035 IMG 20231023 WA0034 IMG 20231023 WA0033

 

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ગોધરાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા દશેરા અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને ખાદ્ય-પદાર્થોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઘીનું ઉત્પાદન તથા વેચાણ કરતી પેઢીઓમાંથી કુલ 6 નમૂના લઇ સરકારી લેબોરેટરીમાં મોકલી આપેલ છે. નવરાત્રી અને દશેરા નિમિત્તે ફુડ સેફટી ઓન વ્હીલ્સ (મોબાઈલ ટેસ્ટીંગ લેબોરેટરી ) દ્વારા મીઠાઇ, માવો, પ્રીપેર્ડ ફુડ, પાણી,ચટણી,બળેલું તેલ વગેરેના ૧૧૫ નમૂના સ્થળ પર જ તપાસ્યા હતા અને બિન આરોગ્યપ્રદ ૨૩૫ કિલો ખાદ્ય-પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. દશેરાને ધ્યાનમાં રાખીને ફાફડા-જલેબીનું વેચાણ કરતી દુકાનો તેમજ તંબુ વગેરેમાં ચેકિંગ કરીને બેકરી પ્રોડકટસના તેમજ ફાફડા-જલેબીના કુલ ૨૦ નમૂના લઇ તપાસ માટે રાજ્ય સરકારની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તંત્ર દ્વારા હજુ પણ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી મીઠાઇ-ફરસાણની દુકાનોમાં તપાસ કામગીરી ચાલુ રખાશે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

 

***

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews