નવસારી કે.વી.કે.દ્વારા ખેત અવશેષોમાંથી અળસિયા ખાતર બનાવવાનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

0
30
વાત્સલ્યમ્ સમાચાર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
IMG 20231003 WA0306સ્વચ્છતા અભિયાન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા પાક અવશેષો તથા કચરામાં કંચન જેવું અળસિયાનું ખાતર બનાવવા માટે તાલીમ કાર્યકમ યોજાયો હતો . સામાન્ય રીતે ખેડૂતો ખેત અવશેષો, નિંદણ, અન્ય કચરો વગેરે એકઠો કરી તેને બાળી મૂકે છે જેના પરિણામ સ્વરૂપે હવા તો પ્રદૂષિત થાય છે પરંતુ આ કચરાને બાળવાથી કચરા દ્વારા જમીનમાંથી ઉગાડેલ અતિ અગત્યના પોષક તત્વોનો નાશ થાય છે. જેથી જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે. આ બાબતની સમજ કેળવવા તથા ખેડૂતોને ટૂંકાગાળામાં ખૂબ જ પોષકતત્વોથી ભરપૂર અળસિયાનું ખાતર બનાવવા તાલીમ કરવામાં આબ્યું હતું . ખેડૂતોને અળસિયા ખાતરના મહત્વ અને તેની બનાવવાની વિવિધ પધ્ધતિ અને ફાયદાઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી . વધુમાં તેઓએ ખેતી પાકોના અવશેષોના ઉપયોગથી કચરામાંથી  કંચન જેવું અળસિયાના ખાતર, વર્મીકમ્પોસ્ટ તથા કમ્પોસ્ટ બનાવવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા .

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews