નેત્રંગ ખાતેથી આદિવાસી અધિકાર યાત્રા યોજાય જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા..

0
263
વાત્સલ્યમ્ સમાચાર

IMG 20230914 WA0001

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૪/૦૯/૨૦૨૩

 

૧૩મી સપ્ટેમ્બર એટલે આદિવાસી અધિકાર દિવસ હોય છે જે અંતર્ગત નેત્રંગ લાલમંટોડી ખાતેથી આદિવાસી અધિકાર યાત્રાનો પ્રારંભ થયો હતો.જે ફોરવ્હીલ મારફતે નેત્રંગ થી આ યાત્રા નીકળી રાજપારડી, ઝઘડિયા અને વાલિયા થઈ અંકલેશ્વર પોહંચી હતી. જ્યાંથી આ પદયાત્રા કરી ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પોહચી જ્યાં કલેકટર ને રજુઆત કરવામાં આવી.

 

આ આદિવાસી અધિકાર યાત્રામાં સ્થાનિક જી.આ.ઈ.ડી.સી માં લોકલ વ્યક્તિઓને રોજગારી, જિલ્લા માં આદિવાસી સમાજ સાથે થતા અન્યાય અને અત્યાચારનો મામલો તેમજ ભરૂચ અંકલેશ્વર શહેર માં આવેલ આદિવાસી સમાજ ની ઝુંપડ-પટ્ટીઓ ને કાયમી કરવાની માંગ સહિત જંગલ ની જમીનો આપવા બાબત જેવી બાબતો અંગે કલેકટર કચેરીએ રજુઆત કરવા માટે પહોંચ્યા હતા.

 

આ યાત્રા માં પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના સેક્રેટરી સંદીપભાઈ માંગરોલા, જિલ્લા કોંગ્રેસ ના અગ્રણી શેરખાન પઠાણ સહિત આદિવાસી સમાજ ના આગેવાનો અગ્રણીઓ સહિત ના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા,

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here