નવસારી: ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ” અંતર્ગત વિવિધ યોજના માટે અરજી કરાશે
MADAN VAISHNAVNovember 25, 2024Last Updated: November 25, 2024
3 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારીબાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માં “ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ” નવી બાબત તરીકે મંજૂર થયેલ છે. આ કાર્યક્રમ હેઠળના (૧) ક્રોપ કવર (શાકભાજી પાકો માટે) (૨) ક્રોપ કવર/ બેગ (કેળ/પપૈયા પાક માટે) (૩) દાડમ ક્રોપ કવર/ ખારેક બંચ કવર (૪) ફ્રુટ કવર (આંબા, દાડમ, જામફળ, સીતાફળ, કમલમ (ડ્રેગનફ્રુટ) ઘટક માટે તેમજ ચાલુ બાબતના (૧) દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી,ફૂલ તથા છોડના વિકાસ માટે વાહતુક ખર્ચ (૨) હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય તથા (૩) નિકાસકારોને બાગાયતી પાકોના ઈરેડીએશન પ્રક્રિયા માટે સહાય ઘટકમાં ઓનલાઈન અરજી કરવા માટે આઈ-ખેડૂત પોર્ટલ આજે તા.૨૧/૧૧/૨૦૨૪ થી તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. તેથી જિલ્લાના ખેડૂતમિત્રો જે આ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઈ-ગ્રામ કેન્દ્ર મારફતે, સાયબર કાફે અથવા પોતાની જાતે અરજી કરી શકશે.
આ માટે અરજદારે ૮-અ, ૭ અને ૧૨ ની નકલ, જાતિનો દાખલો (અનુ.જાતિ/અનુ.જન જાતિના કિસ્સામાં), આધારકાર્ડની નકલ, IFSC કોડવાળી રાષ્ટ્રીયકૃત બેન્ક પાસબુક,અરજી કર્યાની કોપી સાથે બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે દિન-૭ દિનમાં નીચે જણાવેલ સરનામે રૂબરૂ અથવા ટપાલ મારફત જમા કરાવવાનું રહેશે.