
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

શાળાના આચાર્યો શ્રીમતી કડોદવાલાએ પણ બાળકોનો ઉત્સાહ વધારવા હાજર રહ્યા હતા. બાળકોને સંગીત ખુરશીની રમત રમાડવામાં આવી હતી. જેમાં સંગીતના અવાજે બાળકો રમવાનું શરૂ અને સંગીતના અવાજ બંધ થતાં બાળકો ગોઠવેલી ખુરશી પર બેસી જાય. બાળકોની સંખ્યા કરતાં એક ખુરશી ઓછી મૂકતાં એક બાળક આઉટ થઈ જાય અને આ રીતે ગેમ રમાડી હતી. કાર્યક્રમના નિર્ણાયક શ્રી તરીકે શાળાના શિક્ષિકા ટીનાઝબેન પટેલે સેવા બજાવી હતી.
બીજી રમતમાં બાળકોએ પાણી ભરેલી ડોલ માંથી મગ વડે બાજુમાં રાખેલ બાટલી ભરવાની હતી. જે બાળક વહેલા બાટલી ભરે તે વિજેતા. આ રમત દરમ્યાન બાળકની ધીરજ, ચપળતાની કસોટી કરવામાં આવી હતી બાળકો ખૂબ જ ધીરજથી પાણી ભરી રહયા હતા. બાળકોને તેમના વિજેતા થવા બદલ પ્રથમ, દ્વિતીય તૃતીય નંબર જાહેર કરી તેમને સર્ટીફિકેટથી નવાજવામાં આવ્યા હતા. દરેક બાળકોના ચહેરા પર રમતનો આનંદ અનુભવાતો હતો.




