નવાગામ ની બાલકૃષ્ણ વિધાલય માં રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા તેમજ વક્તવ્ય સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ..

0
19
વાત્સલ્યમ્ સમાચાર

20 જાન્યુઆરી 2023
હર્ષલ ખંધેડિયા :- જામનગર
વાત્સલ્ય સમાચાર

જામનગર ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્ધારા કાલાવડ તાલુકા ના નવાગામ ની શ્રી બાલકૃષ્ણ વિધાલય માં રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા તેમજ વક્તવ્ય સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ.. IMG 20230117 WA0065

IMG 20230117 WA0057

IMG 20230117 WA0056 1આ સ્પર્ધા માં બહોળી સંખ્યા માં વિધાર્થીઓ ભાગ લીધો હતો..સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતે આરોગ્ય અધિકારી નરેન્દ્રભાઈ બેડવા એ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપી કુટુબના સભ્યોને તમાકુના દુષણથી મુકત કરવા અપીલ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય પરેશભાઈ પાગડા તેમજ , આરોગ્ય કર્મચારી વનરાજભાઈ વાલવા , દમુબેન રાઠોડ સહિત ના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews