માંગરોળ: બહારકોટ- દરબારગઢને જોડતો રસ્તો રીપેર કરી પહોળો કરવા માંગ

0
16
વાત્સલ્યમ્ સમાચાર

જૂનાગઢ માંગરોળ પીજીવીસીએલ કચેરી પાસેથી નીકળતો કલેકટર અને ધારાસભ્યને રજૂઆત યોગ્ય કરવાની માગ

માંગરોળમાં પીજીવીસીએલ કચેરી પાસેથી નીકળતો બહારકોટ -દરબારગઢને જોડતો રસ્તો રીપેર કરી પહોળો અને ખુલ્લો કરવા ધારાસભ્ય, જી ,કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી છે. જાણીતા ઉદધોષક રમેશભાઇ એલ,જોશીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે વિજકચેરી પાસેથી બહારકોટ- દરબારગઢને જોડતો આમ રાહદારી રસ્તો કચેરીના નવીનીકરણ બાદ બંધ કરી દેવાયો હતો.

જે ન.પા ના તત્કાલીન પ્રમુખના પ્રયત્ન બાદ ખુલ્લો કરાયો હતો. પરંતુ આ રસ્તો સાંકડો, ઉબડખાબડ અને ભયંકર ઢાળ વાળો હોય, સત્વરે રિપેર ,પહોળો અને સીધી લીટીમાં ખુલ્લો કરવો આવશ્યક છે. કારણ કે આ રસ્તે પાલિકા બાલમંદિર,ન.પા.સંચાલીત તાલુકાની સૌથી મોટી કન્યા શાળા તથા મહિલા મંડળ જવાનો તથા સહાયકોને પીપરીચોરા ,કાપડ બજારને જોડતો એકમાત્ર માગઁ છે.

આ રસ્તો માંગરોળ સ્ટેટે પણ કયારેય બંધ કરેલ ન હથો અને સૌરાષ્ટ્ર આઈસ ફેકટરી પાસેથી મોટા વાહનો પસાર થઈ શકે તેટલો પહોળો હતો. હાલ આ રસ્તામાં પીજીવીસીએલ બિનજરૂરી દિવાલ લંબાવતા,જુના રસ્તા વચ્ચે સબ સ્ટેશન ,થાંભલા ખોડી દેતા અડચણો ઉભી થઈ છે જે સત્વરે નિવારવા માંગણી કરી છે.

—— રિપોર્ટર વસંત અખિયા માંગરોળ —– IMG 20230107 WA0002IMG 20230305 WA0000

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews