રિપોર્ટર
અમિન કોઠારી
સંતરામપુર
કડાણા તાલુકાના સરસ્વા ઉત્તર ગામે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવગાંધીના માનમાં આમલી અગીયારસના મેળાનું આયોજન કરવામાં આવ્યું.
મહીસાગર જિલ્લાના કડાણાં તાલુકાના સરસવા ઉતર ગામે તા ૩.૩.૨૦૨૩.ના આમળી અગિયારસના ધાર્મિક તહેવારના દિવસે માજી વડાપ્રધાન સ્વ. રાજીવગાંધી ના માનમાં જાહેર મેળાનું આયોજન કરવામાં આવ્યું.
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે,
આ આમલી અગિયારસ નો મેળો માજી વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધી એ સરસવા ઉત્તર ગામની પાવનધરા ઉપર પધાર્યા ત્યારે તા ૨૩.૩.૧૯૮૬. ના રોજ આ સમયે દુષ્કાળ ની પરિસ્થિતિમાં નિર્માણ થયેલી અને આ વિસ્તારમાં પાણી ભયંકર તકલીફ હતી તેવા સમયે સ્વ. રાજીવગાંધી ના માનમાં સરસવા ઉત્તર મુકામે રાજીવગાંધી સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આમ વર્ષોથી ચાલતી આપરંપરા અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આ પારપારિક મેળામાં ગુજરાત અને રાજસ્થાન અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં માનવ મેહેરામણ ઉમટે છે
સ્વ. રાજીવ ગાંધીના માનમાં આ મેળાનું આયોજન ગ્રામ સરસ્વા ધ્વરા કરવામાં આવે છે.