મોરબી : અવની ચોકડી પાસે ડૂબેલા બાળક નો મૃતદેહ મળી આવ્યો

0
57
વાત્સલ્યમ્ સમાચાર

મોરબી : અવની ચોકડી પાસે ડૂબેલ બાળક મૃતદેહ મળી આવ્યો

મોરબીના ઉમિયા સર્કલ નજીક બપોરેના અરસામાં એક ત્રણ વર્ષનું બાળક કેનાલમાં પડી ગયું હતું અને મોરબી ફાયર ટીમને જાણ કરતા ફાયર ઓફિસર સહિતની ટીમ દોડી ગઈ હતી અને તરવૈયાઓએ કેનાલમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી કેનાલ પણ બંધ કરવામાં આવી હતી

IMG 20230914 WA0042 1

ઉમિયા સકૅલ પાસે કેનાલમાં અંદાજે ૩ વર્ષનું બાળક પડી ગયું હોય જેથી ફાયરની ટીમે ગઈકાલ બપોરથી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું જોકે રાત્રીના અંધકારને પગલે સર્ચ ઓપરેશન બંધ કરવું પડ્યું હતું બાદમાં મોડી રાત્રીના બે વાગ્યા ની આસપાસ વાવડી ગામ નજીક કેનાલમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જાણ થતાં તુરંત મોરબી તાલુકા પોલીસને ટીમ દોડી જઈને બાળકના મૃતદેહને પી એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો મૃતક બાળક નામ આયુષ બિરેન્દ્રભાઈ સુનરા (ઉ.3)જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here