મોરબીના ચાચાપર ગામે ગરીબોના પ્લોટ ઉપર દબાણ કરતા ડીડીઓના માર્ગદર્શન હેઠળ જમીન ખુલ્લી કરવામાં આવી..

0
14
વાત્સલ્યમ્ સમાચાર

મોરબીના ચાચાપર ગામે.ગરીબોના પ્લોટ ઉપર દબાણ કરતા ડીડીઓના માર્ગદર્શન હેઠળ જમીન ખુલ્લી કરવામાં આવી..

IMG 20230913 WA0030

મોરબી તાલુકાના ચાંચાપર ગામે જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજય સિંહ જાડેજા ના માર્ગ્દર્શન હેઠળ તેમની આગવી સુઝબુઝ તેમજ દબાણ દુર કરાવવાની અનોખી શૈલીથી મહેસુલ વિભાગના નાયબ મામલતદાર (દબાણ),રેવન્યુ તલાટી તથા જિલ્લા પંચાયત તળેના તલાટી કમ મંત્રી તેમજ ચાંચાપર ગામના સરપંચ અને ઉપસરપંચ ની ટીમ દ્વારા ચાંચાપર ગામે ઘર વિહોણા લાભાર્થીઓ માટે સ.નં.૨૯પૈ મા ૧૦૦ ચો.વાર.ના પ્લોટના લાભાર્થીઓ માટે ગામતળ નીમ કરવા માટે દરખાસ્ત કરેલ સવાલવાળી જમીનની બાજુની જમીનમા સ.નં.૮ પૈકીના ખાતેદાર ત્રિભોવનભાઇ મોરભાઇ પટેલ તથા અલ્પેશભાઇ ભુદરભાઇ હોથી દ્વારા લિમ્બુના ઝાડનુ વાવેતર ,આગળની બાજુ ફેંસીંગ તેમજ પાછળની બાજુ પાકી દિવાલ કરી કરેલુ આશરે ૪૨૦૦ ચો.મી.નુ દબાણ દુર કરવામા આવેલ છે.

IMG 20230913 WA0031
જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજય સિંહ જાડેજા ના જણાવ્યા મુજબ આ જગ્યામા ટુંક સમયમા ૧૦૦ ચો.વાર માટે લાયકાત ધરાવતા ઘર વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ફાળવવાની કામગીરી હાથ ધરવામા આવશે.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here