GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

MORBI:મોરબી મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો


મોરબી મહાનગરપાલિકા ના સંપૂર્ણ સહયોગ હેઠળ શ્રી સિધ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત આશ્રય ગૃહ ખાતે ગત સોમવારે તા. ૨૭ જાન્યુઆરી ના રોજ સાંજે ૫ થી ૭ દરમ્યાન સ્થાનિક લાભાર્થીઓ માટે આરોગ્ય વિભાગ ના સહયોગ થી જનરલ આરોગ્ય નિદાન કેમ્પ નું આયોજન કરાયું હતું.આ કેમ્પ માં આરોગ્ય વિભાગ તરફથી અર્બન હેલ્થ સેન્ટર ના ડો. હાર્દિકભાઈ દેત્રોજ સાહેબ તથા ટીમ દ્વારા લાભાર્થીઓ ને તપાસી ને જરૂરી દવાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા તથા બીપી અને ડાયાબિટીસ પણ ચેક કરી આપવામાં આવેલ હતા. અત્રે ઉલેખનીય છે કે , આશ્રય ગૃહ ના લાભાર્થીઓ માટે સરકાર શ્રી વિભાગીય સૂચના મુજબ દર ૧૫ દિવસે લાભાર્થીઓ ના આરોગ્ય ચકાસણી અને નિદાન કેમ્પ મુ આયોજન કરવામાં આવે છે.આ કેમ્પ માં આશ્રય ગૃહ ના લાભાર્થીઓ ઉપરાંત આસપાસ ના વિસ્તાર ના જરૂરિયાતમંદ નાગરિકો પણ લાભ લઈ શકે છે.
આ કેમ્પ માં કુલ ૫૬ જેટલા લાભાર્થીઓ એ લાભ લીધો હતો.કેમ્પ ને સફળ બનાવવા આરોગ્ય વિભાગ ટીમ અને સંચાલક સંસ્થા ના પ્રતિનિધિઓ દ્વારા જહેમત ઉઠાવી ને કેમ્પ ને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!