વાત્સલ્યમ્ સમાચાર
MORBI:ABVP દ્વારા જ્ઞાન સહાયક ભરતી ને લઈને પરીક્ષાર્થીઓના ન્યાય માટે કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી વિરોધ કરવામાં આવ્યો.
જ્ઞાન સહાયક ભરતીને લઈને TET TAT ના પરીક્ષાર્થીઓને ન્યાય આપવાની માંગ સાથે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
TET TAT ની પરીક્ષામાં સરકાર દ્રારા જ્ઞાન સહાયક યોજનાના વિરોધમા ABVP અને ઉમેદવારો દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. અને આ જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેમજ માંગણી નહિ સ્વીકાર્ય તો ગાંધીનગર ખાતે ઉગ્ર રજૂઆત કરાશે