વાત્સલ્યમ્ સમાચાર
મોરબી યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત
મોરબી: મોરબીમાં યુવકને કારખાનામાં કામે જવાની ના પાડતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર સતેશ્વર મંદિર પાછળ હાઉસીંગ બોર્ડ એલ-૮૪૬મા રહેતા આકાશભાઈ મનસુખભાઇ રામાનુજ ઉ.વ.૨૩ વાળો કારખાનામાં કામે જતો હોય જેથી તેના પિતાએ કારખાનામાં કામે જવાની ના પાડતા મનમાં લાગી આવતા ગત તા.૧૭-૧૧-૨૦૨૩ ના રોજ કોઈ પણ સમયે પોતાની જાતેથી ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.