રાજપીપળામાં વરસાદી કાંસની જમીન ઉપર બિલ્ડરોએ પુરાણ કરતા મુખ્યમંત્રીને ફરિયાદ !?

0
14
વાત્સલ્યમ્ સમાચાર

રાજપીપળામાં વરસાદી કાંસની જમીન ઉપર બિલ્ડરોએ પુરાણ કરતા મુખ્યમંત્રીને ફરિયાદ !?

રાજપીપળા ચોમાસાનાં પાણીના નિકાલની જગ્યાઓ કોન્ટ્રાકટરો પચાવી પાડતા હોવાનાં આક્ષેપ સાથે યુવાને મુખ્યમંત્રીને રજુઆત કરી

યુવાનની ફરિયાદ સાચી હોય તો કોનાં આશીર્વાદથી વરસાદની જમીન ઉપર લેવલ કરાયું ? તે તપાસનો ગંભીર વિષય !?

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા વ્રજ કોમ્પલેક્ષ પાછળ વરસાદી કાંસની જગ્યા આવેલ છે જ્યાંથી વરસાદી પાણીનો નિકાલ ખાડી મારફતે કરજણ નદીના થાય છે આ જગ્યા ઉપર માટી નાંખવી પુરાણ કરવામાં આવતા એક જાગૃત નાગરિકે કોન્ટ્રાકટર ના નામ સાથે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી છે

જેમાં જણાવ્યું છે કે રાજપીપલા ખાતે વ્રજ કોમ્પ્લેક્ષનો પાછળનો અને છોટુભાઇ પુરાણી હાઇસ્કુલની સામે આવેલો ખાડા-ટેકરા વાળો ભાગ એ ચોમાસાની ઋતુમાં પાણીનો નિકાલ કરવા માટેના કોતરો આવેલા હતા.તે જગ્યાએ બિલ્ડરો દ્વારા ટ્રકો, જી.સી.બી મશીનથી ખાડા ટેકરાવાળી જમીન કોતરો પુરાણ કરી લેવલ કરવામાં આવેલ છે.IMG 20230304 WA0053

રાજપીપળા વિસ્તારમાં આવેલ વ્રજ કોમ્પ્લેક્ષનાં પાછળના ભાગે જે ખરાબને- ખાડા-ટેકરાવાળી જમીન આવેલી છે. જે વર્ષોથી વડીયા, તથા આજુબાજુના વિસ્તારોનું ચોમાસાનાં પાણીનો નિકાલ કાયમી ધોરણે થતો હતો અને વર્ષો વરશથી આ ખાડા-ટેકરાવાળો ખરાબનો જમીન માથી કાયમી ધોરણે પાણીનો નિકાલ થયા કરતો હતો પરંતુ હાલમાં આ ખાડા- ટેકરાવાળી જગ્યા ઉપર હાઇવા ટ્રકો, અને જી.સી.બી મશીનોથી વિગેરે અન્ય ગાડીઓ/ વાહનોથી કોઇ જગ્યાએથી માટીઓ ટ્રકોમાં લઇ આવીને રોયલ્ટી વગર માટીના મોટા-મોટા ઢગલાઓ કરીને મુકેશભાઇ પટેલ નામનો કોંટ્રાક્ટર તથા અન્ય ઇસ્મો ધ્વારા ખાડા- ટેકરાવાળી જગ્યાઓનું લેવલ કરી દીધેલ છે. અને ખરાબની જમીનનો કાયદેસર કબજો જમાવો કરી પચાવી પાડેલાનું જણાય આવેલ છે. જેના કારણે ચોમાસાના પાણીનો નિકાલ થઇ શકે તેમ ન હોય, અને આ નેશનલ હાઇવે તથા આજુબાજુનાં આવેલા – નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ સંતોષચાર રસ્તાથી લઇ હરસિધ્ધીમાતા ના મંદિર સુધી ગળાડુબ પાણી ભરાવવાનો ખુબજ શક્યતાઓ રહેલી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઇ જઇ મોટું નુકશાન થાય તેવી પુરેપુરી શક્યાતાઓ રહેલી છે. અને નેશનલ હાઇવે સદંતર ચોમાસાની ઋતુમાં બંધ થઇ જાય તેવી શક્યાતાઓ રહેલી છે. જન જીવન પર ઉપર તેની માઠી અસર થાઇ તેવી પુરેપુરી શક્યતાઓ છે. આ નેશનલ હાઇવેની આજુબાજુ- આવેલ દુકાનો,મકાનો ને પણ મોટું નુકશાન થાય તેવી શક્યતાઓ હોય જેથી આ મુકેશભાઇ પટેલ તથા અન્ય કોંન્ટ્રાક્ટરો તથા ઇસમોએ આ ખાડા- ટેકરાવાળી જગ્યાઓમાં કોની પરમીશનથી તથા પરવાનગી લીધેલી છે. કે કેમ, અને જો રાજપીપલા નગરપાલીકા કે અન્ય સરકારી કચેરીએ પરમીશન આપેલ હોય તો તે તાત્કાલીક રદ કરવી જોઇએ.જેથી ઉપરોક્ત તમામ હકીકતે રાજપીપલા વિસ્તારમાં આવેલ વ્રજ કોમ્પ્લેક્ષ ની પાછળ આવેલી અરાબની ખાડા-ટેકરાવાળી જમીન જે મુળ સ્થિતીમાં હતો તે સ્થિતીમાં પહેલાની જેમ વર્ષો વર્ષથી પાણીનો નિકાલ ન હોવાથી કોતરડા માંથી પસાર થઇ માઇકલ બ્રિજ માંથી પસાર થઇ કરજણ નદીમાં પાણીનો નિકાલ થતો હતો. તે સ્થિતિમાં કરવા પુરાણ કરેલ માટી તાત્કાલિક દુર કરાવવા તથા આ બાબતે તાત્કાલિક જવાબદાર અધિકારીઓ/ કર્મચારીઓ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા તંત્રને રજુઆત કરી છે.

બોક્ષ…

રાજપીપળામાં આવી જમીનો ઉપર શું ગેરકાયદેસર કબજો કરવામાં આવી રહ્યું છે !? શું રાજપીપળામાં અન્ય સ્થળોએ પણ આવી પડતર જમીનો ઉપર કોઈ કબજો કર્યો છે ??? જવાબદારો સામે કોણ પગલાં લેશે ? તપાસ થશે ? અધિકારી સત્તાધીશોની મીલીભગત થી આ કાર્ય થઈ રહ્યું છે ? જેવા સવાલો ટોક ઓફ ધી ટાઉન બન્યા છે જોકે યુવાનની અરજીની તપાસ બાદ નક્કર જવાબો મળી શકશે…

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews