વાત્સલ્યમ્ સમાચાર
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકામાં આવેલ ઉમરકુઈ ગામના વાઘમાર્યા ફળીયા ખાતે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઇ, રેઇન્બો વોરીયર્સ ધરમપુર અને શ્રધ્ધા સબુરી વિકાસ મંડળ ઉમરકુઇ દ્વારા આયોજીત રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૬/૧૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૦-૦૦ થી બપોરે ૨-૦૦ કલાકે રકતદાન કેમ્પ યોજાશે. સ્વ. કેતનભાઇ મગનભાઇ વાઘમાર્યાના પુણ્ય સ્મરણાર્થે યોજાનારા આ કેમ્પમાં યુવાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રકતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.