GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નુરાની ચોક ખાતે હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ઉર્ષ નિમિત્તે નીયાઝ નું ભવ્ય આયોજન કરાયું.

 

તારીખ ૨૧/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ઉત્તરપ્રદેશ રાજ્યના કાનપુર જીલ્લા સ્થિત મકનપુર શરીફ ખાતે આરામ ફરમાવતા અને “દમ મદાર બેડા પાર” ના નામથી ઓળખવામાં આવતા સુફી સંત હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ઉષ મુબારક નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત મુજબ કાલોલ શહેર સ્થિત નુરાની ચોક જુમ્મા મસ્જિદ સામેના મોટા મદ્દશા નીચે હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ચીલ્લા શરીફ ખાતે જીક્ર સાથે રફાઇનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મુસ્લિમ મહિનો જમાદિ-ઉલ-અવ્વલ નો ચાંદ ૧૭ મો અને અંગ્રેજી તારીખ ૨૦/૧૧/૨૦૨૪ રોજ શાનદાર જસ્ને ઉર્ષ મુબારકની ઉજવણી નિમિત્તે નુરાની ચોક ખાતે અશરની નમાઝ પછી કુરાન શરીફનું પઢન કરી મગરીબની નમાઝ પછી આમ નિયાઝનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી મોડી રાત્રી સુધી નીયાઝ આરોગી ધન્યતા અનુભવી હતી અત્રે ઉલ્લેખનીય છેકે દર વર્ષે જમાદિ-ઉલ-અવ્વલ મુસ્લીમ ૧૭ મા ચાંદ ના રોજ હજરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ઉર્ષ ની ઉજવણી લઇને મોહંમદ આશીફખાન ઉર્ફે ગુડ્ડુભાઇ આશીકે જીંદાશાહ મદાર દ્વારા સમગ્ર શહેરના મુસ્લિમ બિરાદરો માટે ભર પેટ ન્યાઝનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને ગુડ્ડુભાઇ એ કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનો ઉઘરાણું (ફાડો) પણ તેવો દ્વારા લેવામા આવતો નથી તે એક સરાહનીય કાર્યની લોકોએ પ્રસંશા કરી હતી.

Back to top button
error: Content is protected !!