કાલોલ નગરપાલીકા સહિત કુલ ૭૬ નગરપાલીકા ની મુદત પુર્ણ થઈ

0
11
વાત્સલ્યમ્ સમાચાર

તારીખ ૪ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

Screenshot 2023 03 04 11 17 10 75

કાલોલ નગરપાલીકા સહિત કુલ ૭૬ નગરપાલીકા ની મુદત પુર્ણ થઈ છે જે પૈકી ૬૮ ની મુદત ફેબ્રુઆરી ૨૩ માં પુરી થઈ છે જ્યારે ૬ નગરપાલિકા ની મુદત માર્ચ મહિનામાં અને બે નગરપાલિકા ની મુદત ગત ઓગસ્ટ મહિના ના જાહેરનામા થી વિસર્જિત કરાઈ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પછાત વર્ગ માટે બેઠકો નક્કી કરવા સમર્પિત આયોગ ની રચના કરવામાં આવી છે આયોગની ભલામણો નો અહેવાલ સરકાર સમક્ષ ૯૦ દિવસમાં કરવાનો સમય ગાળો નક્કી કરવામાં આવ્યો છે જે આયોગ ની મુદત લંબાવવામાં આવેલ છે જેથી ચુંટણી આયોગ દ્વારા જ્યા સુધી સમર્પિત આયોગ ની ભલામણો નો અહેવાલ સરકાર સમક્ષ રજુ કરવામાં ન આવે ત્યા સુધી ચુંટણી યોજાઈ શકે તેમ ન હોય ગુજરાત સરકાર નાં શહેરી વિકાસ વિભાગે ગતરોજ તા ૦૩/૦૩ નાં રોજ પરિપત્ર બહાર પાડી જુદી જુદી નગરપાલિકાઓ માં વહીવટદાર ની નિમણુક કરી છે જે પૈકી કાલોલ નગરપાલીકા માં વહીવટદાર તરીકે હાલોલ મામલતદાર ની નિમણુક કરવામાં આવી છે.

 

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews