વાત્સલ્યમ્ સમાચાર
તા.૨૨ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામ ખાતે ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૯ (શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-‘૨૪) માટે પ્રવેશ પરીક્ષા તા. ૧૧ ફેબ્રુઆરીને શનિવારના રોજ સવારે ૧૧ કલાકથી બપોરે ૨ કલાક સુધી જવાહર નવોદય સેન્ટરમાં લેવાશે. જેના પ્રવેશપત્ર https://navodaya.gov.in/nvs/en/Home1 પરથી ડાઉનલોડ કરી શકાશે. વધુ જાણકારી માટે જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે, તેમ આચાર્યશ્રી જે. કે. ગોંડલીયાની યાદીમાં જણાવાયું છે.