ડો. સતિષ મકવાણા વિભાગીય નાયબ નિયામક,ગાંધીનગરે સાબરકાંઠાની મુલાકાત લીધી
*******
“ડે કેર કિમો થેરાપી સેન્ટર” થી કેન્સરના દર્દીઓને છેક અમદાવાદ સુધી સારવાર માટે નહીં જવું પડે- ડો સતિષ મકવાણા
*************
જનસામાન્યનાં સ્વાસ્થ્યની કાળજી માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ભારત સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા આ યોજનાઓના છેવાડાના માનવી સુધી પહોચે તે માટે હર હંમેશ કટિબદ્ધ રહે છે. આ યોજનાની અમલવારી અંગે ડો. સતિષ મકવાણા વિભાગીય નાયબ નિયામક, ગાંધીનગર સાબરકાંઠા ઇડરના સાપાવાડા ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને મેડિકલ કોલેજ હિંમતનગરની મુલાકાત લીધી હતી.
આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત આભા આઇ.ડી. બનાવવાની કામગીરીના નિરીક્ષણ માટે આ મુલાકાત લઇ જણાવ્યું કે, “આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ” (ABHA) તરીકે ઓળખાતું ડિજિટલ હેલ્થ આઈડી ૨૭મી સપ્ટેમ્બર,૨૦૨૧ના રોજ,લોન્ચ કરવામાં આવી હતી. આ મિશનનો ધ્યેય ભારતના તમામ નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી પ્રદાન કરવાનો છે. જે તબીબી રેકોર્ડ્સ સુધી સરળતાથી પહોંચવાની સુવિધા આપશે. આ ID એ 14-અંકનો ઓળખ નંબર છે જેનો ઉપયોગ ભારતમાં ગમે ત્યાંથી થઈ શકે છે. આમ, તમે કોઈપણ ભૌગોલિક અવરોધો વિના સમગ્ર ભારતમાં તબીબી વ્યાવસાયિકો સાથે તમારી સ્વાસ્થ્ય માહિતી શેર કરી શકો છો. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૧ માસમાં ૮૧૦૬૨ વ્યક્તિઓના આભા આઇ.ડી બનાવવામાં આવ્યા છે.
જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજની મુલાકાત લઇ “ડે કેર કિમો થેરાપી સેન્ટર”ની કામગીરીની સમીક્ષા કરી જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લાના કેન્સરની બીમારી જે દર્દીઓ જી.સી.આર.આઇ (એ એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ), અમદાવાદ ખાતે જરૂરી નિદાન અને સારવાર સેવાઓ લેતા દર્દીઓને હવેથી અમદાવાદ ખાતે કિમો થેરાપી ની સારવાર માટે જવું પડશે નહીં. તેઓને હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલ ડે કેર કિમો થેરાપી સેન્ટર ખાતે જરૂરી સેવાઓ મળી રહેશે. જેથી દર્દી શારીરિક હેરાનગતિ ઓછી થશે અને સાથે નાણાંની બચત પણ થશે.
રિપોર્ટ,જયંતિ પરમાર