એક અનોખી કંકોત્રી સ્નેહીજનોને આપવામાં આવી અને કંકોત્રી બની ચકલીનો માળો

0
250
વાત્સલ્યમ્ સમાચાર

તા.20/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગરIMG 20231120 WA0026

પઢારીયા પરીવારનું અનોખું જીવદયા માટે પગલું.

હાલ લગ્નની તૈયારી ધુમધામ ચાલી રહી છે ત્યારે ખાસ કંકોત્રી અવનવી અને નવીનતા સાથે છપાવવાની એક હોંશ હોય છે તેમાં વઢવાણ તાલુકાના ખોલડીયાદના લેખક અને શિક્ષણ સાથે જોડાયેલા પઢારીયા મહેશભાઈએ તેમની લાડલી દિકરીના શુભ લગ્નની કંકોત્રી કંઈક અલગ રીતે જ છપાવેલ છે તેમના દિકરીબા કૃપાલીબાના લગ્ન પ્રસંગે નવ દંપતિને આશીર્વાદ આપવા માટે સ્નેહીજનો ને ચકલીના માળા સ્વરુપ કંકોત્રી બનાવી છે જે એક જીવદયાનું ઉદાહરણ પુરુ પાડે છે અને આ કંકોત્રી ચકલીના માળા તરીકે ખાસ ઉપયોગી બનશે ત્યારે આ કંકોત્રી જોઈ પર્યાવરણ પ્રેમીઓએ આ કાર્યને અને પઢારીયા મહેશભાઈને શુભેચ્છા સાથે અભિનંદન આપેલ હતા.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews