કેરળમાં નિપાહ વાયરસના વધતા જતા કેસોને જોતા તમિલનાડુ સરકારે એક પરિપત્ર જારી કરીને લોકોને કેરળના અસરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. કર્ણાટક સરકારના આરોગ્ય વિભાગે કહ્યું છે કે કેરળના સરહદી જિલ્લાઓ (કોડાગુ, દક્ષિણ કન્નડ, ચામરાજનગરા અને મૈસૂર) અને કેરળથી કર્ણાટક સુધીના પ્રવેશ સ્થળો પર દેખરેખ વધારવી જોઈએ.
કેરળમાં આરોગ્ય પ્રધાનના કાર્યાલયે જણાવ્યું છે કે કોઝિકોડની એક હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવેલા 39 વર્ષીય વ્યક્તિમાં નિપાહ વાયરસના વધુ એક કેસની પુષ્ટિ થઈ છે.આ દરમિયાન કેન્દ્ર સરકાર પણ નિપાહ વાયરસને લઈને સંપૂર્ણ રીતે ગંભીર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ આ અંગે સંપૂર્ણ સાવધાની રાખી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ નિપાહ વાયરસ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેઓએ 12 સપ્ટેમ્બરે બે લોકોના મૃત્યુની પુષ્ટિ પણ કરી હતી, ત્યારબાદ વાયરસને રોકવા માટે ઘણા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રએ રાજ્ય સરકારની મદદ માટે નિષ્ણાતોની એક ટીમ પણ કેરળ મોકલી હતી.