#junagadh news

JUNAGADH

મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે જૂનાગઢ તાલુકા(શહેર) સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ,તા.૬ મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં જૂનાગઢ તાલુકા(શહેર) માટે…

Read More »
JUNAGADH

જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને વરસાદની સ્થિતિ બાદ કાર્યવાહી કરવા સમિક્ષા બેઠક યોજાઇ

સંબંધિત અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવી શક્ય તેટલી ઝડપી કામગીરી ચાલુ કરવા સૂચના આપી  જૂનાગઢ તા. ૨    જૂનાગઢ શહેર અને સમગ્ર…

Read More »
JUNAGADH

સાળંગપુર મુકામે સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના સમર્પિત  કાર્યકર્તાઓનો પ્રાન્ત  કાર્યકર્તા અભ્યાસ વર્ગ યોજાયો

જુનાગઢ તા.૨   સંસ્કૃત ભારતી એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જે વિશ્વના ૩૭ દેશોમાં સંસ્કૃત ભાષાનો નિશુલ્ક પ્રચાર પ્રસાર કરે છે. જેમના કાર્યકર્તાઓ એક પણ રૂપિયાની અપેક્ષા વગર દેવભાષા એવી સંસ્કૃતને જન  વ્યવહારની ભાષા બનાવવા માટે અહર્નિશ પ્રયત્નરત છે. આ  અભ્યાસ વર્ગમાં  સૌરાષ્ટ્ર પ્રાંતના ૧૫ જિલ્લાઓમાંથી, પ્રાંત સ્તરના,  વિભાગ સ્તરના અને જિલ્લા કક્ષાના દાયિત્વ વાળા કાર્યકર્તાઓ પોતાના સ્વખર્ચે ઉપસ્થિત રહ્યા હતા. અને બે દિવસ સંસ્કૃત ભાષાના સંવર્ધન હેતુ વિચાર-વિમર્શ કર્યો. આ અભ્યાસ વર્ગના ઉદ્ઘાટનમાં સાળંગપુરના  પૂ. જ્ઞાનતૃપ્તસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાનતૃપ્ત સ્વામીએ સંસ્કૃત ભાષાએ ભારતીયોના આચાર અને વ્યવહાર સાથે વણાયેલી ભાષા છે અને તેમના મહત્વ વિશે કાર્યકર્તાઓને જણાવ્યું હતું. ઉદ્ઘાટન બાદ વિવિધ સત્રોમાં કાર્યકર્તાઓને ગત વર્ષના કાર્યની સમીક્ષા અને આગામી વર્ષના કાર્યોનું ચિંતન કર્યું હતું. તો બીજે દિવસે સાળંગપુર સંસ્કૃત મહાવિદ્યાલયના બે આચાર્યો દ્વારા સંસ્કૃત ભાષામાં વાદવિવાદ પ્રતિયોગિતા દ્વારા સંસ્કૃત ભાષાનું મહત્વ પ્રતિપાદિત કર્યુ હતું. આ બે દિવસના અભ્યાસ વર્ગમાં કાર્યકર્તાઓને આગામી સમયમાં યોજાનાર ગૌરવ પરીક્ષા, સંસ્કૃત સંભાષણ વર્ગ, ઓગસ્ટ માસમાં થતી સંસ્કૃત સપ્તાહની ઉજવણી અને પત્રાચારના માધ્યમથી સંસ્કૃત શીખવા ઈચ્છતા સૌરાષ્ટ્ર પ્રાંતના લોકો માટે પ્રયત્ન કરવા સૂચવ્યું હતું. તેમજ પ્રાંત કક્ષાના અભ્યાસ વર્ગ બાદ સૌરાષ્ટ્ર પ્રાંતના પાંચ વિભાગોમાં તાલુકા કક્ષાના કાર્યકર્તાઓ માટે અભ્યાસ વર્ગ થાય તે માટેનું વિભાગના સંયોજકોએ આયોજન રજૂ કર્યું હતું.      ‌ આ  અભ્યાસ વર્ગમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શિરિષ ભેડસસગાંવકરજી અને પશ્ચિમ ક્ષેત્રના સંગઠન મંત્રીશ્રી  વિઠ્ઠલભાઈ ભટ્ટ,  શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ અને સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ સુકાંતકુમાર સેનાપતિજી અને પ્રાંત મંત્રી ડો. પંકજભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.        આ અભ્યાસ વર્ગને સફળ બનાવવા માટે સંસ્કૃત ભારતીના  ભાવનગર વિભાગના  ડો. મુકેશભાઈ ઇઢારીયા  સહિત અનેક કાર્યકર્તાઓએ અથાક મહેનત કરી હતી તેમ સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચાર પ્રમુખ ડો.કિશોરભાઈ શેલડીયાએ અખબારી યાદીમાં જણાવ્યું  છે.

Read More »
JUNAGADH

જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડ્યો

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો  છે. તાજા અપડેટ પ્રમાણે, ગઇકાલથી અત્યાર સુધી જુનાગઢમાં સૌથી વધુ વરસાદ…

Read More »
JUNAGADH

વરસાદના પગલે જૂનાગઢ આસપાસના ૯ ગ્રામ્ય રસ્તાઓ અને અન્ય માર્ગ પ્રભાવિત

કેટલાક રસ્તા પર પાણી વહેતા હોવાથી લોકોને સાવચેત કરાયા જૂનાગઢ તા.૧  જૂનાગઢ જિલ્લામાં ગઈ રાત્રીથી સતત વરસાદને પગલે કેટલાક રસ્તાઓ…

Read More »
JUNAGADH

શારદાદેવી પ્રાથમિક શાળા ખડિયા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો

જૂનાગઢ તા. ૨૬   શાળા પ્રવેશ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં શિક્ષણના ડ્રોપ આઉટનો રેશિયો શૂન્ય કરી દરેક બાળક શાળામાં પ્રવેશ મેળવે…

Read More »
JUNAGADH

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વર્ચ્યુલ મિટીંગમાં અન્ય જિલ્લાઓની સાથે  જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ જોડાયા

જૂનાગઢ તા. ૨૪    આગામી તા. ૨૬,૨૭,૨૮ જુનના ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવની ઉજવણીને અનુલક્ષી  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી…

Read More »
JUNAGADH

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે

જૂનાગઢ તા. ૨૪   સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. ચાલુ વર્ષે…

Read More »
JUNAGADH

સખી વન સ્ટોપ સેન્ટર-જુનાગઢ દ્રારા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ઉજવણી કરાઇ

યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ…

Read More »
JUNAGADH

જૂનાગઢના ઉપરકોટ કિલ્લા ખાતે મહાનગર પાલિકા કક્ષાના ‘વિશ્વ યોગ દિવસ’ની શાનદાર ઉજવણી કરાઈ

મેયરશ્રી ગીતાબેન પરમાર, કમિશ્નર શ્રી ડૉ. ઓમ પ્રકાશ સહિતના મહાનુભાવો અને યોગ સાધકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાયા   જૂનાગઢ તા.૨૧…

Read More »
Back to top button
error: Content is protected !!