મલાવ ગામના યુવાનનો અનોખો સંકલ્પ: શ્રાવણ માસમાં 30 દિવસ સુધી બિલ્વ વૃક્ષના રોપા અને ગીતાના શ્લોકનું વિતરણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો.

તારીખ ૧૨/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મલાવ ગામના યુવાન જયેશભાઈ મહેરાએ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પર્યાવરણ અને અધ્યાત્મનો સમન્વય સાધીને અનોખું વ્રત પૂર્ણ કરીને યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. યુવાન જયેશભાઈએ શ્રાવણ માસ દરમિયાન ત્રીસ દિવસ સુધી મિત્રો – સ્નેહીજનોને મળીને તેઓને બિલ્વ વૃક્ષના રોપાની ભેટ અને સાથે ગીતાજીનો શ્લોક આપવાનો સંકલ્પ કર્યો હતો. યુવાને બિલ્વ વૃક્ષના રોપાનું વિતરણ કરી લોકોને લુપ્ત થવા જઈ રહેલા વૃક્ષના સંરક્ષણ તથા પર્યાવરણ જતનના વિચારને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. વળી, ગીતાજીના શ્લોકના વિતરણ દ્વારા લોકોમાં માનવ્યતા નિર્માણ થાય તેવો ભાવ પ્રકટ કરવામાં આવ્યો હતો.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો