જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા ગત તારીખ :- ૧૩/૦૯/૨૬ ને રવિવારના રોજ ગાયત્રી મંદિર ખાતે ગજાનંદ ગણપતિ મહોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિજેતા થયેલા તમામ બાળકોને આજરોજ તારીખ :- ૧૮/૦૯/૨૬ ને શુક્રવારના રોજ ઝાંસીની રાણી પાસે આવેલ ગિરનારી ગણેશ ખાતે ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા સાહેબ હસ્તે બાળકોને પ્રોત્સાહિત રૂપી ઈનામ વિતરણ કરવામાં આવેલ હતું. તમામ વિજેતા બાળકોને માનનીય ધારાસભ્ય શ્રી એ શુભેચ્છાઓ પાઠવી હતી. અને ગિરનારી ગ્રુપે તમામનો હૃદય પૂર્વક આભાર માનેલ હતો.












