બોરસદમાં વૃક્ષારોપણ થકી પર્યાવરણનો જતનનો સંદેશ આપવામાં આવ્યો.


તાહિર મેમણ – આણંદ – 19/08/2026 – વડનગરથી વારાણસી જવા નિકળેલી સેવા સંકલ્પ યાત્રા આજે આણંદ જિલ્લાના બોરસદ ગામ ખાતે પહોંચી હતી. આ યાત્રામાં બાઈક યાત્રીઓ સાથે ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા બાઇક યાત્રામાં સહભાગી બની આણંદ જિલ્લાના બોરસદ ગામે પહોંચ્યા હતા.
આ સંકલ્પ યાત્રા બોરસદ ખાતે પહોંચતા ત્યાં ઉપસ્થિત મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સહિતના મહાનુભાવો અને લોકોએ આ યાત્રાનું પુષ્પવૃષ્ટિ કરી ભવ્ય સ્વાગત કર્યું હતુ.
આણંદ જિલ્લાના બોરસદ શહેરી વિસ્તારમાં ફરીને બાઈક યાત્રા આસોદર ચોકડી, વાસદ ચોકડી થઈ તેના ગંતવ્યસ્થાને જવા રવાના થઈ હતી. આ યાત્રાના રૂટમાં આવતા ગામોમાંથી યાત્રા જ્યારે પસાર થઈ હતી ત્યારે ત્યાં ઉપસ્થિત નગરજનોએ ઠેર ઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.










