કાલોલમાં શ્રીગોડ જ્ઞાતિ જીર્ણ પક્ષ (૧૩૫) દશગામ પંચ દ્વારા મહાલક્ષ્મી માતાજીના પ્રાગટ્ય દિને નવચંડી મહાયજ્ઞ યોજાયો.

તારીખ ૨૦/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલની શ્રીગોડ જ્ઞાતિ જીર્ણ પક્ષ (૧૩૫) દશગામ પંચના સમસ્ત જ્ઞાતિજનોના સહકારથી શ્રી મહાલક્ષ્મી માતાજીના પ્રાગટ્ય દિનની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ભાદરવા સુદ-૯, રવિવારના રોજ શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરે સવારે ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી નવચંડી મહાયજ્ઞ યોજાયો હતો. જેમાં નવ જેટલા નવદંપતિઓએ યજમાન તરીકે મહાપૂજામાં ભાગ લઈ પૂજા-અર્ચના તથા મહાઆરતીનો લાભ લીધો હતો.શ્રીગોડ જ્ઞાતિ દ્વારા મહાલક્ષ્મી માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે વર્ષોથી પરંપરાગત રીતે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. જેમાં શ્રીગોડ જ્ઞાતિના મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પરિવારજનો સાથે ઉપસ્થિત રહી મહાયજ્ઞનો લાભ લીધો હતો.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો