દેશમાં ચોમાસાની રફ્તાર વચ્ચે હવામાન વિભાગે વધુ એક નવી ચેતવણી જારી કરી છે. આઇએમડી અનુસાર આવતીકાલે 13 સપ્ટેમ્બરના ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 25 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ વરસાદ દરમિયાન 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ ભયંકર વાવાઝોડાથી પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં લોકોની પરેશાની વધી શકે છે. પહાડી રાજ્યો માટે ભૂસ્ખલનની ચેતવણી જારી કરવામાં આવી છે. વધુમાં પૂર્વીય રાજ્યોમાં વીજળી અને વાવાઝોડાનો કહેર વિનાશ વેરી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે 13 સપ્ટેમ્બરે દેશભરના 25 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, કેરળ, તેલંગાણા અને તમિલનાડુનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગ અનુસાર આવતીકાલે 13 સપ્ટેમ્બરે દિલ્હીમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીર : અનંતનાગ, જમ્મુ, પૂંચ, બારામુલ્લા, કિશ્તવાડ, રિયાસી, ગાંદરબલ, ઉધમપુર, રામબન, શોપિયાન, બાંદીપોરા અને રાજૌરી માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 13 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે.










