મેઘરજ – શ્રાવણના અંતિમ સોમવારે નિલકંઠ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – શ્રાવણના અંતિમ સોમવારે નિલકંઠ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ

શ્રાવણ માસના અંતિમ સોમવારના પાવન અવસરે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ વિવિધ શિવમંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા પવિત્ર નિલકંઠ મહાદેવ મંદિર ખાતે પણ સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. ભક્તોએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કરી બીલીપત્ર અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી.શ્રાવણના અંતિમ સોમવારને લઈ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

20
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો