જૂનાગઢ ખાતે ૧૮થી ૨૮ વર્ષના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે  તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન

જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી તા. ૧૧/૦૯/૨૦૨૬ના રોજ કોમર્સ એન્ડ બી.બી.એ. કોલેજ કેમ્પસ, બિલખા રોડ, જૂનાગઢ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતીમેળામાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ, એ.આઈ.એ. એવિએશન એલ.એલ.પી., એસ.એમ.એફ.જી. ઇન્ડિયા ક્રેડિટ કંપની લિમિટેડ-જૂનાગઢ સહિતના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહી રોજગારવાંચ્છુ ઉમેદવારોની પસંદગી માટે ઇન્ટરવ્યુ યોજશે. આ ભરતીમેળામાં વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ માટે એસ.એસ.સી, સ્નાતક કે અનુસ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ( ૧૮ વર્ષ થી ૨૮ વર્ષ) સુધીના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે. તેમ જૂનાગઢ જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો