અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – મોટી ઈસરોલ ગામના રામદેવજીના સેવક પ્રભુદાસ પટેલ દ્વારા સતત 24 માં વર્ષે રાજસ્થાનના પોસાલિયા ખાતે ગુજરાતી વિસામાંનું આયોજન કરવામાં

રાજસ્થાન સ્થિત રણુજા ધામ અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક બની ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી નોમ સુધી લાખો ભક્તો પગપાળા રણુજાના દર્શન માટે નીકળી રહ્યા છે. આ શ્રદ્ધાળુઓ માટે માર્ગમાં આરામ અને જમવાની સુવિધા મળી રહે તે હેતુસર વિવિધ જગ્યાએ વિસામાનું આયોજન કરવામાં આવે છે.ત્યારે ગુજરાત ના અરવલ્લી જિલ્લાના મોડાસા ના મોટી ઈસરોલ ગામના રામદેવજીના સેવક પ્રભુદાસ પટેલ દ્વારા સતત 24 માં વર્ષે રાજસ્થાનના પોસાલિયા ખાતે ગુજરાતી વિસામાંનું આયોજન કરવામાં આવ્યું છે.આ વિસામો સમગ્ર મહિનો ચાલે છે અને અહીં રોજ પગપાળા તેમજ વાહનો માં આવતા હજારો ભક્તોમાટે ચા નાસ્તો, ભોજન અને સુવા ની સુવિધા કરવામાં આવી છે ભોજનમાં ભક્તો માટે અલગ અલગ પ્રકારના સુવ્યવસ્થિત અને શાકાહારી ભોજન તૈયાર કરવામાં આવે છે.અને પગપાળા ભક્તો ને પીરસવામાં આવે છે તેમજ ભક્તો ના મોબાઈલ ફોન ચાચીંગ માટે પ્લગ તેમજ આરામ કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ અનેક ભક્તો આ વિસામામાં આવીને લાભ લઈ રહ્યા છે.આ વિસામામાં મહિનામાં લાખો ભક્તો ભોજનનો લ્હાવો લેતા હોય છે








