JAMNAGAR:જામનગર ખાતે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા આચાર્ય ભાવેશભાઈ પનારાનું શિક્ષણ મંત્રી હસ્તે વિશેષ બહુમાન

જામનગર:શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના જન્મદિન નિમિત્તે જામનગર ખાતે પ્રજાહિત અને લોકસેવાના ૨૨ વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ અવસરે જામનગર જિલ્લાનું નામ રાજ્યસ્તરે રોશન કરનાર શ્રેષ્ઠ શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના કર્મઠ આચાર્ય શ્રી ભાવેશભાઈ પનારાને ૫ સપ્ટેમ્બર (શિક્ષક દિન) નિમિત્તે ગાંધીનગર ખાતે રાજ્યપાલશ્રીના હસ્તે ‘રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ એનાયત થયો હતો. સમગ્ર જામનગર જિલ્લા માટે આ એક અત્યંત ગૌરવશાળી સિદ્ધિ હોય, શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના હસ્તે આચાર્ય શ્રી ભાવેશભાઈ પનારાને સ્મૃતિચિહ્ન અર્પણ કરી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી ખીજડા મંદિરના પૂજ્ય સંતશ્રીઓ તથા સ્વામિનારાયણ મંદિરના સંતોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને આશીર્વચન પાઠવ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવો:રાજ્યસભા સદસ્ય: શ્રી જીતેન્દ્રભાઈ કણજારીયા ધારાસભ્યશ્રીઓ: શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી દિવ્યેશભાઈ અકબરી સ્થાનિક પદાધિકારીઓ: જામનગરના માનનીય મેયરશ્રી, ડી.પી.ઈ.ઓ. (DPEO) શ્રી મહેતા સાહેબ સંગઠન આગેવાનો: રાજ્ય સંઘના પ્રમુખ શ્રી દિગુભા જાડેજા, શ્રી ચંદ્રકાંતભાઈ ખાખરીયા
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ આચાર્યશ્રીની શ્રેષ્ઠ શૈક્ષણિક સેવાઓને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.









