MORBI:મોરબીમાં 1223 બાળકોને ફ્રી આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા પીવડાવ્યા

છેલ્લા નવ વર્ષથી દર પુષ્યનક્ષત્રની જેમ આ પુષ્યનક્ષત્રે ગઈકાલે આયુ જીવન આયુર્વેદ દ્વારા 97મો વિનામુલ્યે આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ મોરબીમાં યોજાયો. જેમાં 1223 બાળકોને તથા 87 પ્રેગનેંટ બહેનોને વિનામુલ્યે સુવર્ણપ્રાશન ટીપા શ્રીસોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, સ્વામિનારાયણ મંદિર વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે પીવડાવવામાં આવ્યા. આ કેમ્પના મુખ્ય આયોજક રાજભાઈ પરમારના કહેવા અનુસાર હિતેષભાઇ દેત્રોજાના સહયોગથી દરેક બાળકોને ટીપા પીધા બાદ ગિફ્ટ પણ આપવામાં આવી. આ આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા બાળકોની ઇમ્યુનીટી વધારે છે, યાદ શક્તિ વધારે છે, શારીરિક તથા માનસિક વિકાસમાં મદદ કરે છે તથા બાળકો માટે ઉત્તમ ટોનિક છે.











