
**નરેન્દ્ર મોદીના જન્મદિને સમગ્ર ગુજરાતમાં દિવાળી જેવું માહોલ: ગામેગામ દીવા પ્રગટાવી કરાઈ ભવ્ય ઉજવણી**

ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મલાસા ગામે 251 દીવા સળગાવી દિવાળી જેવો માહોલ સર્જાયો.
આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ભાજપના સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડાપ્રધાનના જન્મદિવસને એક ઉત્સવ તરીકે ઉજવતા રાજ્યના દરેક ગામમાં અનોખી પહેલ જોવા મળી હતી.
**ગામડાઓમાં દિવાળી જેવો માહોલ**
સાંજ પડતાની સાથે જ ગુજરાતના ખૂણે-ખૂણેથી ઉત્સાહના દ્રશ્યો સામે આવ્યા હતા. રાજ્યના દરેક ગામમાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો દ્વારા ઘરઆંગણે, ચોકમાં અને જાહેર સ્થાનો પર **દિવડા (દીવા) પ્રગટાવીને** દિવાળી જેવું પર્વ ઉજવવામાં આવ્યું હતું.
ખાસ કરીને મલાસા ગામમાં આ ઉજવણી વધુ ભવ્ય બની હતી. અહીં એક બાજુ 251 દીવા સળગાવીને રામદેવપીર મંદિરે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. બીજી બાજુ સેવા સહકારી મંડળીમાં પણ આ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ચેરમેન પરમાર કરશનભાઈ મોંઘાભાઈ સેક્રેટરી પરમાર પરેશભાઈ વાલજીભાઈ દિનેશભાઈ પટેલ, ઠાકરડા પ્રફુલભાઈ રમેશ નીનામા દ્વારા કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન મલાસા ગામના સરપંચ જયંતિ ચેનવા તેમજ પંચાયત કર્મચારી નિલેશ પ્રજાપતિ, ઠાકરડા અશોકભાઈ અને ગામના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું.
જયંતિ પરમાર સાબરકાંઠા










