કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજિત તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સનું આયોજન તા. ૦૧/૧૧/૨૦૨૬ થી તા. ૦૭/૧૧/૨૦૨૬ દરમિયાન જૂનાગઢ ખાતે થનાર છે. આ સાત દિવસીય એડવેન્ચર કોર્સમાં ૦૮ થી ૧૩ વર્ષની વયના બાળકો ભાગ લઈ શકશે. કોર્સ દરમિયાન તાલીમ, નિવાસ અને ભોજનની સુવિધા તેમજ આવવા-જવાનો પ્રવાસ ખર્ચ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ આપવામાં આવશે. ઇચ્છુક અરજદારો માટેનું નિયત અરજી ફોર્મ Facebook પેજ “SVIM ADMINISTRATION” પરથી ડાઉનલોડ કરી શકાશે. નિયત અરજી ફોર્મ જરૂરી આધાર-પુરાવા સાથે ભરીને તા. ૦૧/૧૦/૨૦૨૬ સુધીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, લાખાકોઠા, ભવનાથ, જૂનાગઢ-૩૬૨૦૦૨ ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફતે મળી જાય તે રીતે મોકલવાનું રહેશે. આ અંગેની વધુ માહિતી માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢના ફોન નં. ૦૨૮૫-૨૬૨૭૨૨૮ પર સંપર્ક કરી શકાશે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ








