પાલનપુર તાલુકાના જગાણા ખાતે શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરે હવન- યજ્ઞ યોજાયો

14 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર અમદાવાદ હાઇવે જગાણા ખાતે શ્રી બિલેશ્વર મહાદેવ શ્રી વેરાઈ માતાના પરિસરમાં જ છે પાલનપુર અમદાવાદ રાજ્યના ધોરીમાર્ગ ઉપરનું ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે અનેક પરિવારોના ચૌલકર્મ (બાબરી) માટેનું આ અતિ પવિત્ર અને આરાધ્ય શીલની રક્ષાકાજે કુવારકાએ આત્મ બલિદાન આપેલ હોવાની વાત લોક મુખે સંભળાય છે બિલીવનમાં જીર્ણોધ્ધાર થયેલ આ મંદિર જુના પૌરાણિક શિવલિંગને યથાવત રાખી બાજુમાં નયન રમ્ય શિવાલયનું નિર્માણ સને ૨૦૦૮ માં કરવામાં આવ્યું હતું આ મંદિર આસપાસના ખેડૂતો, ભાવિકો તથા ગામલોકોના આર્થિક સહયોગ મળતાં અતિ સુંદર મંદિર અત્યારે નિર્માણ પામેલું છે આ મંદિરના પરિસરમાં સોલંકીકાળના અજ્ઞાત અવશેષો પણ મળી આવ્યા હતા અત્યારે ઉમરેલા તળાવના કાંઠે બિલીના વૃક્ષોમાં આ મંદિર શોભી રહયું છે. શ્રી વેરાઇ માતા પાટણના સેનાના સૈનિકો દ્વારા લાવીને બિલીવનમાં સ્થાપના કરેલ છે એવી લોકવાયકા પણ છે આ હવન- યજ્ઞ દર વર્ષે ગ્રામજનોની સુખાકારી માટે મહાદેવજીની અને શીવની પૂજા અભિષેક અને હવન – યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં યજ્ઞના આચાર્ય દિનેશભાઇ જોષી, શાસ્ત્રી, બિપિનભાઇ શાસ્ત્રી,સુભાષભાઈ શાસ્ત્રી, દિપકભાઇ શાસ્ત્રી, હરેશભાઇ શાસ્ત્રી, સહિત ભૂદેવો દ્વારા શાસ્ત્રોકત વિધિથી મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી આ પ્રસંગે બિલેશ્વરના મહંતશ્રી કમલાગીરી , પ.પૂ, શંકરદાસજી મહારાજ, ચંદનગીરી ગોસ્વામી, અધિક કલેક્ટરશ્રી જશવંતભાઇ જેગોડા,રતીભાઇ લોહ, ટ્સ્ટીશ્રીઓ દિનેશભાઇ જોષી, મનુભાઈ દેસાઈ, ભેમજીભાઇ ચૌધરી,(વકીલ) ગિરીશભાઇ જુડાલ, રામજીભાઈ જેગોડા, તેમજ ગ્રામજનોમાંથી ફતાભાઇ જેગોડા, ભેમજીભાઇ જેગોડા,ગણેશભાઇ ચૌધરી, દિલીપભાઈ કરેણ, દેવજીભાઈ જરમોલ,(વાસણા) ચેલાભાઇ કરેણ, દિનેશભાઇ જુડાલ,વિરલભાઇ ચૌધરી, ઉજાભાઈ જરમોલ,સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી પૂજા-અર્ચના અને દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકોએ અતિ પ્રાચીન બિલેશ્વર મહાદેવના મંદિરે સર્વે ધર્મ પ્રેમી જનતાએ હવન- યજ્ઞનો અને દર્શનનો બહોળો લાભ લીધો હતો પ્રભુ શિવ સૌનું કલ્યાણ કરે..

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો