AHAVADANGGUJARAT

Dang:સુબિર તાલુકામા પાંડોરી દેવી મંદિરનાં સેવકની ઝુંપડીને કોઈ ટીખળખોરે આગ લગાડી દેતા ભાવિકોમાં રોષ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મળતી માહિતી મુજબ સુબિર તાલુકાનાં મહાલથી સોનગઢ જતા માર્ગ ઉપર બંધપાડા નજીક આવેલ પાંડોરી માવલી માતા મંદિરમાં સેવક તરીકે રહેતી ગુલી ભકતાણી ની ઝુંપડીમાં કોઈ ટીખળખોર ઇસમ દ્વારા ઝૂંપડીની પાછળ શરાબની ખાલી બોટલો નાખી આગ ચાંપી દેતા ગુલીબેનની ઘરવખરી સહિત નારિયેળ, પૂજાનો સામાન બળીને ખાખ થઈ જતા ભકતાણી ગુલીબેનની કફોડી સ્થિતિ સર્જાઈ છે.આદિવાસીઓની આરાધ્ય દેવી પાંડોરી માવલી અને બજરંગ બલી નો જાગૃત દેવ સ્થાન હોય કોઈ અસામાજિક તત્વ દ્વારા શાંત વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાય રહ્યું છે.જે બાબતે સ્થાનિક ભાવિકો દ્વારા આવી હીન ચેષ્ટા કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.આ બાબતે સાધ્વી યશોદા દીદીએ આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું હતુ કે આ પાંડોરી માવલી અને હનુમાનજીનો જાગૃત દેવસ્થાન હોય અહીં રહેતા ભકતાની ગુલીબેન મંદિર ની આસપાસ પરિસર ચોખ્ખુ રાખે છે, અહીં અનેક ભાવિક ભક્તો માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય કોઈ દુષ્ટ વ્યક્તિએ ઝુંપડીને આગ લગાડી ભય નો માહોલ ઉભો કર્યો છે, તંત્ર દ્વારા સખત પગલાં ભરવામાં આવે તેવી માંગ કરૂ છું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!