DYSP ના અધ્યક્ષસ્થાને ફતેપુરા પોલીસ દ્વારા નગરમાં ફ્લેગમાર્ચ યોજાઈ, શાંતિસમિતિ ની બેઠકનું પણ આયોજન કરાયું
વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
ફતેપુરા નગરમાં યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને ફતેપુરા પોલીસે ઝાલોદ વિભાગના DYSP ડી.આર.પટેલ ના અધ્યક્ષસ્થાને ફતેપુરા નગરમાં ફ્લેગમાર્ચ યોજી હતી, તારીખ ૧૭/૦૬/૨૦૨૩ના રોજ ફતેપુરા નગરના મુખ્ય માર્ગો પર ફરી ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી, ૨૦ જૂને યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ફ્લેગમાર્ચમાં ઝાલોદ વિભાગના DYSP ડી.આર.પટેલ, CPI, તેમજ ફતેપુરા પોલીસ સ્ટેશનના PSI જી.કે.ભરવાડ સહિત મોટી સંખ્યામાં પોલીસ વિભાગના જવાનો જોડાયા હતા. ફ્લેગમાર્ચ બાદ DYSP ડી.આર.પટેલના અધ્યક્ષસ્થાને ફતેપુરા પોલીસ મથકે શાંતિસમિતિની બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં, મોટી સંખ્યામાં ફતેપુરા નગરના હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો, ભગવાન જગન્નાથ રથયાત્રા આયોજન સમિતિના સભ્યો જોડાયા હતા.