BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા ની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

ઝઘડિયા ની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

 

ઝઘડિયાની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ ની આગામી વાર્ષિક પરીક્ષાના ઉપક્રમે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સેન્ટર ઝઘડીયાના હેતલ દીદી ખાસ વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર નહી રાખવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, આ ઉપરાંત શાળાના સ્ટાફ ટ્રસ્ટી ગણ પણ ઉપસ્થિત રહ્યો હતો અને તમામે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. દરેક ધોરણના વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી, ઉપરાંત ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા. ધોરણ ૮ ની વિદ્યાર્થીનીઓએ વિદાય ગીત રજૂ કરી શુભેચ્છા પાઠવી હતી અને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું. બ્રહ્માકુમારી ઝઘડિયા સેન્ટરના હેતલ દીદી એ શુભેચ્છા સાથે વિદ્યાર્થીઓને બોલપેન આપી સારું પરિણામ લાવી શાળા અને માતા-પિતાનું નામ રોશન કરે તથા ડર વગર પરીક્ષા આપવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

ઈરફાન ખત્રી

રાજપારડી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!