અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસાના વેપારીના આપઘાત કેસમાં ડિ.સેસન્સ કોર્ટે ત્રણ આરોપીઓના આગોતરા જામીન ના મંજૂર કર્યા
મોડાસા: સીરાજદ્દીન પટેલે કરેલા આપઘાતની ઘટના બાદ સુસાઇડ નોટ માં ત્રણ આરોપીઓ દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાનો હતો ઉલ્લેખ ટાઉન પોલીસે નિલેશ હસમુખલાલ શાહ, હિતેશ ચંદુલાલ શાહ અને ચંદુલાલ શાહ સામે દુશપ્રેરણા આપવા બાબતે ગુનો દાખલ કર્યો હતોજેમાં ગુનો નોંધાયા બાદ ત્રણ આરોપીઓ પૈકી બાપ – દીકરા અને અન્ય એક વ્યક્તિએ અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી જે પૈકી નામદાર ડિસ્ટિક સેશન્સ જજ એ.એન.અંજારીયા એ 5 માર્ચના રોજ સુનાવણી હાથ ધર્યા બાદ ફરિયાદી પક્ષના ખાનગી વકીલ ઈદ્રીસભાઈ સદા એ રજૂ કરેલી વાંધા અરજીમાં દર્શાવેલ કારણો ચકાસતા ત્રણેય આરોપીઓ ની આગોતરા જામીન 6 માર્ચના રોજ ના મંજૂર કર્યા