BHARUCHGUJARATNETRANG

નેત્રંગ ગામ સહિત ગામ ભરમાં મહાશિવરાત્રીની શ્રધ્ધા ભેર ઉજવણી.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૮/૦૪/૨૦૨૪

*અમરેશ્વ મહાદેવ મંદિર, કુબેરેશ્વર મહાદેવ મંદિર અને કંનકેશ્વર મહાદેવ મંદિર ખાતે ઘી અને મીડથી તૈયાર કરવામાં આવેલ શિવજીની પ્રતિમા ગામમાં આકર્ષણનું કેન્દ્ર*

 

તારીખ ,૦૮ માર્ચને શુકવાર ના રોજ સનાતનીઓનું સૌથી મોટુ ધર્મ પર્વ મહાશિવરાત્રી છે. ધર્મ સંસ્થાઓ અને શિવભકતો દ્રારા દેશભરના શિવમંદિરોમાં ખૂબ જ ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે મહાશિવરાત્રીનું પર્વ ઉત્સાહભેર ઉજવવા માટે છેલ્લાં કેટલાંક દિવસોથી તૈયારીઓ ચાલી રહી હતી.

 

નેત્રંગ ગામ સહિત તાલુકાભરમાં દેવા ધી દેવ મહાદેવ ની મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી ના ભાગ રૂપે શિવ મંદિરો માં વહેલી સવારથી શિવભક્તો દ્વારા હર હર મહાદેવ ના જય ઘોષ થી શિવમંદિર ગુંજી ઉઠ્યા હતા.

 

નેત્રંગ ગાંધી બજાર ખાતે આવેલ અમરેશ્વ મહાદેવ મંદિર, જીનબજાર ખાતે આવેલ કંનકેશ્વર મહાદેવ મંદિર અને કુબેરેશ્વર મહાદેવ મંદિરે ભાવિક ભક્તો પુંજા અર્ચના માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

 

નેત્રંગ ખાતે ત્રણ શિવમંદિર ખાતે મુકવામાં આવેલ બાબા ભોલેનાથની ઘી અને મીડમાં થી તૈયાર કરવામાં આવેલ પ્રતિમા ગામમાં મુખ્ય આકર્ષણ કરી રહી છે. ગાંધી બજારના અમરેશ્વ મહાદેવ મંદિર તેમજ કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે ઘી અને મીડમાં થી તૈયાર કરવામાં આવેલ ભોલેનાથની પ્રતિમાના દર્શન કરવા ભાવિક ભક્તો દર્શન માટે ઊમટી પડ્યા હતા.

 

તેમજ કુબેર ભંડારી મંદિર પરિસર ખાતે મંદિર સંચાલકો થકી પ્રથમ વખત જ ત્રિદિવસીય ભાતીગળ મેળાનું આયોજન કરવામા આવ્યુ છે. સદર મેળો તા, ૮ માચઁ થી લઇ ને ૧૦ માચઁ ૨૦૨૪ સુધી ભરાશે નીજ મંદિરોમા ભજનકિઁતન સહિત ઓમ હવન થશે રાત્રી દરમ્યાન ભજનની રમઝટ જામશે

 

પંથક મા આવેલ આંજોલી, જેસપોર, વિજયનગર, થવા, શણકોઇ, ચાસવડ, કળીયા ડુંગર વિગેરે મંદિરો મા પણ મહાશિવરાત્રી પર્વ ની ભવ્ય ઉજવણી ભકિતમય માહોલ મા થશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!