GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO
મહાશિવરાત્રીના મેળા દરમિયાન જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને આવકારતા શ્રી મહેશ ગીરીબાપુ
લાખોની માનવ મેદની મેળામાં આવતી હોય તેમ છતાં પ્લાસ્ટિક વગર મેળો યોજવાના તંત્ર દ્વારા પૂર્ણ પ્રયસો કરાયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીને શ્રી ગુરુ દત્તાત્રેય સંસ્થાનના મહંત શ્રી મહેશગીરી બાપુએ આવકારી છે. તેમણે કહ્યું કે, આ મેળામાં લાખોમાં માનવ મેદની પધારતી હોય છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક વગર મહાશિવરાત્રીનો મેળો યોજવા માટેના પૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર, પોલીસ સહિતના વિભાગની સીધી દેખરેખ હેઠળ ખૂબ સારી રીતે આ મેળાને યોજવામાં આવ્યો છે. લાખોની સંખ્યામાં આ મેળામાં ભાવિકો પધારતા હોય ત્યારે થોડી ઘણી તકલીફ સ્વભાવિક છે, પ્લાસ્ટિક પ્રતિબંધનું પાલન થાય તેનું તંત્ર એ પૂરું ધ્યાન રાખ્યું છે. તેમ જણાવતા જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને શ્રી મહેશગીરીબાપુએ બિરદાવી હતી.