INTERNATIONAL

મોસ્કોના ક્રોકસ સિટી હોલના ટોયલેટમાંથી 28 મૃતદેહ મળી આવ્યા

રશિયાની રાજધાની મોસ્કોમાં થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 133થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમય દરમિયાન, રશિયન પોલીસે કોન્સર્ટમાં ફાયરિંગ કરવા બદલ ચાર લોકોની ધરપકડ કરી છે.

ખતરનાક આતંકવાદી સંગઠન ISISએ આ હુમલાની જવાબદારી લીધી છે, પરંતુ રશિયન ઓથોરિટીએ આ આતંકી હુમલા માટે યુક્રેનને જવાબદાર ઠેરવ્યું છે. રશિયાનું કહેવું છે કે મોસ્કોમાં આ ઘટનાને અંજામ આપવા માટે હુમલાખોરોએ યુક્રેનની મદદ લીધી હતી. તો બીજી તરફ યુક્રેને આ હુમલામાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે.

આતંકવાદી હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જનતાને વચન આપ્યું છે કે હુમલાખોરોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. તેમણે કહ્યું કે, ‘ હું શપથ લઉં છું કે આ હુમલા પાછળ જે કોઈનો હાથ છે, તેમને છોડવામાં નહીં આવે.’ રશિયન રાષ્ટ્રપતિએ પણ એક દિવસના શોકની જાહેરાત કરી હતી. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે ક્રોકસ સિટી હોલમાં થયેલા આતંકવાદી હુમલાનો ભોગ ઘણા નિર્દોષ લોકો બન્યા હતા. મને ખાતરી છે કે ક્રોકસ સિટી હોલમાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા લોકોના જીવ બચાવવા માટે ડોક્ટરો શક્ય તેટલું બધું કરશે.

રશિયન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, ક્રોકસ સિટી હોલના ટોઇલેટમાંથી 28 મૃતદેહો મળી આવ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે અમે 4 સશસ્ત્ર માણસો સહિત 11 લોકોની ધરપકડ કરી છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરોને યુક્રેનની મદદ મળી રહી હતી અને મોસ્કોમાં આ ઘટનાને અંજામ આપ્યા બાદ યુક્રેને તેમને સરહદ પાર કરીને છુપાવવાની વ્યવસ્થા પણ કરી હતી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!