પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણીનો મામલો ગરમાયો છે. રાજપુત સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં એક જ માંગ કરવામાં આવી છે કે રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાની ટીકિટ કાપવામાં આવે.
ભાજપ સાથે કે પક્ષ સાથે કોઈ વાંધો નથી બસ પુરુષોત્તમ રૂપાલાની ટીકિટ કાપવાની માંગ કરવામાં આવે, જો ભાજપ ટીકીટ નહીં કાપે તો લોકસભામાં તેનું પરિણામ ભોગવશે. જામનગર શહેર સંગઠનના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ આ બાબતને લઇને ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે.