પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા તિલકવાડા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો
તતાકાલિક ધોરણે પુરુસોત્તમ રૂપાલા ની ટીકીટ રદ કરવામાં નહિ આવે તો છોટા ઉદેપુર લોકસભામાં તમામ ગામોના ક્ષત્રિય સમાજ બી જે પી ને વોટ નહિ આપે : ક્ષત્રિય સમાજ
પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા તિલકવાડા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો
તતાકાલિક ધોરણે પુરુસોત્તમ રૂપાલા ની ટીકીટ રદ કરવામાં નહિ આવે તો છોટા ઉદેપુર લોકસભામાં તમામ ગામોના ક્ષત્રિય સમાજ બી જે પી ને વોટ નહિ આપે : ક્ષત્રિય સમાજ
વસિમ મેમણ / તિલકવાડા
પ્રાપ્ત વિગત અનુસર રાજકોટ થી લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર દરમિયાન વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધન વખતે ક્ષત્રિય સમાજ વિશે એક નિવેદન આપ્યું હતું જેનો વિડ્યો વાઇરલ થયો હતો આ વિડ્યો માં તેઓ ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે ટિપ્પણી કરી હતી. આ વીડિયો વાઇરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે રાજ્ય ભરમાં રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં રજપૂત સમાજમાં આ ટિપ્પણીને લઈ ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે આજ રોજ તિલકવાડા તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા આ ટિપ્પણી સામે વિરોધ દર્શાવી સૂત્રોચ્ચાર કરી તિલકવાડા મામલતદારને આવેદનપત્ર પાઠવી પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી
આ બાબતે આ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ ની બહેન દીકરીઓ વિસે જે ટિપ્પણી કરી છે તે ખૂબ જ નિંદનીય છે જેનો તમામ ક્ષત્રિય અને રાજપૂત સમાજ વિરોધ કરે છે ક્ષત્રિય સમાજ એ છે કે જેને ધર્મ ની રક્ષા માટે માથા કપાવી નાખ્યા છે અને આ સમાજ વિસે કોઈ પણ ટિપ્પણી કરશે તો સાખી લેવામાં નહિ આવે. અને તાત્કાલિક ધોરણે પુરુસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવામાં આવે નહિ તો છોટા ઉદેપુર લોકસભા માં આવતા તમામ ગામો ના ક્ષત્રિય અને રાજપૂત સમાજ ના લોકો આનો વિરોધ કરશે અને બી જે પી ને વોટ નહિ આપે અમારે પાર્ટી થિ કોઈ વિરોધ નથી પરંતુ તત્કાલિક ધોરણે પુરુસોત્તમ રૂપાલા ની ટીકીટ રદ કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માંગણી છે.