તાલુકા કાનુની સેવા સમિતિ ,નોબલ હેન્ડ ફાઉન્ડેશન,ત્રિનેત્ર ફાઉન્ડેશન કોડીનારના સયુંકત ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણાદર માં વિશ્વ આરોગ્ય દિવસના ભાગ રૂપે લોકોને જીવન અસર કરતી સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અને જાગૃતિ લાવવાનો છે તેમજ લોકોને પોતાના આરોગ્ય ની જાળવણી કરવી.તેમજ જ્યાં ત્યાં કચરો તેમજ ગંદકી ના કરવી સ્વચ્છ અને નિરોગી રેહવું.તેમજ સારો ખોરાક આરોગ વો અને પોતાનું સ્વાસ્થ્ય જાળવવું તેમ સમજાવાયું. બંધારણ અને તેની જરૂરિયાત તેમજ અદાલતની પ્રાથમિક સમજ આપવામાં આવી હતી લોક અદાલત વિશે સમજવામાં આવ્યું..તેમજ કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું .લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ અને ત્રિનેત્ર ફાઉન્ડેશન ના ટ્રસ્ટી યુવરાજ વાઢેર તેમજ આરોગ્ય અધિકારી પ્રતિક્ષાબેન ઝાલા તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા.