૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તાર માટે કલેક્ટરની અને પ્રાંત અધિકારીની કચેરી ખાતે ઉમેદવારીપત્રો રજૂ કરી શકાશે
તા.૧૯ એપ્રિલ સુધી સવારના ૧૧ થી ૩ વાગ્યા સુધી નામાંકન પત્ર પહોંચાડી શકાશે
ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મુકનાર પૈકી કોઈ એક વ્યક્તિ પણ નામાંકન પત્ર પહોંચાડી શકશે
જૂનાગઢ તા.૧૧ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી ચૂંટણી કાર્યક્રમ નકકી કરવામાં આવ્યો છે. આ ચૂંટણી કાર્યક્રમ અનુસાર ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના ઉમેદવારીપત્રો તા.૧૨-૪-૨૦૨૪ થી તા.૧૯-૪- ૨૦૨૪ દરમિયાન (જાહેર રજાના દિવસ સિવાય) રજૂ કરી શકાશે.
ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી અને કલેક્ટર, જૂનાગઢને રૂમ નં.૧, પ્રથમ માળ, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન-૧, જૂનાગઢ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, જૂનાગઢને પ્રાંત કચેરી, બીજો માળ, તાલુકા સેવા સદન, સરદારબાગ રોડ, જૂનાગઢ ખાતે મોડામાં મોડું તા.૧૯.૦૪.૨૦૨૪ (શુક્રવાર) સુધીમાં કોઇપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧ વાગ્યા થી બપોરના ૩ વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે. નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી અને કલેક્ટર, જૂનાગઢની કચેરી, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન-૧, જૂનાગઢ ખાતે તા.ર૦.૦૪.૨૦૨૪ (શનિવાર) ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યે કરવામાં આવશે, નામાંકન પત્રનાં ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે.
ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઇ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટિસ ચૂંટણી અધિકારી અને કલેક્ટર અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, જૂનાગઢને તેમની કચેરીમાં તા.રર-૦૪-૨૦૨૪ (સોમવાર)ના રોજ બપોરના ૩ વાગ્યા પહેલાં પહોંચાડી શકશે. મતદાન તા.૦૭.૦૫.૨૦૨૪ (મંગળવાર) ના રોજ સવારના ૭ થી સાંજના ૬ કલાક વચ્ચે થશે. તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.