રાજપારડી ખાતે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ડૉ ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતીની નિમિતે જન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું
આજે 14 એપ્રિલ 2024નાં રોજ ભારતીય સંવિધાન ના રચયિતા મહામાનવ ડો ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતીની સમગ્ર ભારત દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ડૉ ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતીની ભારે ઉત્સાહ પૂર્વક ઊજવણી કરવામાં આવી હતી.બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે રાજપારડી ચાર રસ્તા બિરસા મુંડા ચોકથી નીકળેલ રેલી શહીદ ભગતસિંહ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિ રાજપારડી ગ્રામ પંચાયત આંગણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ નમન કરી આ રેલી પૂર્ણ થઇ હતી જન જાગૃતિ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ વડીલો ઉપસ્થિત રહી રેલી સફળ બનાવી હતી
ઈરફાન ખત્રી
રાજપારડી